હડિયાણા,
હડિયાણા ગામે ગત ગુરુવારના રોજ એક મુસ્લિમ મહિલાની તબિયત સારી ન હોવાથી તેમને સારવાર અર્થે જામનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યા તેમને કોરોના ના રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
તેમાં કોરોના પોઝિટિવ આવતા. તેમની કોરોના ની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં બુધવાર ના રોજ વહેલી સવારે તબિયત બગડી જતા ડોક્ટર દ્વારા તેમની તત્કાલીન વધુ સારવાર શરૂ કરી હતી. પણ સારવાર દરમ્યાન મોત થતાં ડોક્ટરે તંત્રને અને તેમના સગા ને જાણ કરી હતી.
હડિયાણા ગામે મુસ્લિમ પરિવાર ના એક મહિલા સકીનાબેન અકબરભાઈ આબલીયા ઉં વ.(૪૫) ની હતી અને તેમને કોરોના પોઝિટિવ હોય અને સારવાર દરમ્યાન તેમનું મોત આજ રોજ તા.13.08.2020 ના રોજ હડિયાણા ગામે મુસ્લિમ સમાજ ના કબ્રસ્તાન માં દફનવિધિ કોરોના વાઇરસ ના સરકારી નિયમ મુજબ pp કીટ પહેરીને કરવામાં આવી હતી.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા